પક્ષીએ માખીને પ્રશ્ન કર્યો : “તું પુષ્કળ મહેનત કરીને મધપૂડામાં મધ એકઠું કરે છે પરંતુ આ માણસો તારું બનાવેલું બધું મધ ચોરી જાય છે.આથી તને છેતરાઈ જવાનું દર્દ અને મધ ગુમાવવાથી નિરાશા ઉત્પન્ન થતી નથી ? “
મધમાખીએ જવાબ આપ્યો :”બિલકુલ નહીં,કેમ કે ભલે ને માણસો મધ ચોરી જાય, પરંતુ મધ કેમ બનાવવું એની આવડત અને મારી બુદ્ધિની ચોરી કદી કરી નહીં શકે. બસ, મને તો મારી જાતમાં, મારી કાર્ય શક્તિ અને કાબેલીયતમાં પુરો વિશ્વાસ છે.મારે માટે તો એટલું જ પૂરતું છે. “
દરેકે આ મધમાખી પાસેથી એના જેવો હકારાત્મક અભિગમ રાખીને પોતાની જિંદગીનો રાહ કંડારવાનું શીખવું જોઈએ...
No comments:
Post a Comment