LIVE FM RADIO

FLIPKART

Flipkart.com

Wednesday, August 1, 2012

આશાવાદી બનો.....


'આશા એ એવું તત્ત્વ છે જે તમને સફળતા તરફ લઈ જાય છે, આશા અને વિશ્વાસ વગર કાંઈ પણ કરી નથી શકાતુ'. આ વાક્ય છે મહાન હેલન કેલરનું જે પોતે અંધ અને બહેરા હતાં પણ વિશ્વાસથી ભણીને તેમણે આર્ટ્સની ડિગ્રી પ્રાપ્ત કરી. (તેઓ વિશ્વની પ્રથમ એવી વ્યક્તિ હતી જેણે અંધ હોય છતાં આ ડિગ્રી પ્રાપ્ત કરી હોય) તેમણે ૧૨ પુસ્તકો લખ્યાં હતાં. એવું કહેવાય છે કે ભગવાનનો એક એવો નિયમ છે કે આ જગતમાં શ્રમ વિના કંઈ પ
્રાપ્ત થતું નથી. જે પૂરા આત્મવિશ્વાસથી પરિશ્રમ કરે છે તે બધું મેળવીને જ રહે છે અને ક્યારેય નિરાશ થતો નથી. દરેક કાર્યના પ્રારંભે સફળતા હોય તે શક્ય નથી પણ સફળતા હશે જ એવી આશા રાખનારો માનવી સફળ જ થાય છે. જે આશાવાદી છે તેની પાસે સર્વસ્વ છે કેમ કે આ દુનિયા જ આશા પર ટકી છે. પુરુષાર્થ દરમિયાન તમારે સીમિત નિરાશા સ્વીકારવી પડે પણ તેની સામે અસીમિત આશા ક્યારેય ના છોડવી.
...સફળતા પ્રાપ્ત કરવા બીજાની સહાય કે બાહ્ય સાધન કરતાં તમારો આત્મવિશ્વાસ અધિક મદદરૂપ થાય છે.

No comments: