LIVE FM RADIO

FLIPKART

Flipkart.com

Wednesday, August 1, 2012

સુખી થવાની ચાવી....(લેખ)


“તમે સુખી છો”?......
નહીં ....?
“તો તમે દુખી છો”?
જવાબ મળે છે ..“સાવ એવું પણ નથી”
“તો પછી તમે અસમંજસમાં છો કે તમે સુખી છો કે દુઃખી”?
સુખ શું છે............ખૂબ મોટા ઘરમાં સુખસાહ્યબીમાં રહેવું, નોકરચાકરો હોવા, ગાડી-વિમાનમાં ફરવું, શાકમંડીમાં જતા હોઈએ તેમ ફોરેન ઉડાઉડ કરવી......કે પછી સંયુક્ત પરિવારમાં રહેવું કે પછી એકલા નાના વિભક્ત પરિવારમાં રહેવું....??
એ વિચારો, કે સુખ તમને ક્યા
રે લાગે છે અથવા શેમાંથી મળે છે ? પોતાની જાત સાથે વાર્તાલાપ સાધો કે મારી પાસે શું હશે અથવા કેવું હશે તો હું મારી જાતને સુખી માનીશ. ધ્યાનથી વિચારો.......સુખ એટલે તમને જે ગમે છે, જે જોઇએ છે એ મળે એ ક્ષણની અનુભૂતિ જ છે ને? બાકી તો મહેલમાં મહાલાનારાઓનો અને ગાડી - વિમાનમાં ફરનારાઓનો ક્યાં તોટો છે, પણ એ લોકો પણ તો પોતાને સમ્પૂર્ણ સુખી માનતા નથી.
તો એનો અર્થ એમ થયો કે સુખ કેવળ ધન કે કોઈ વસ્તુઓમાં નથી, પણ એ વસ્તુઓથી મળતી અનુભૂતિમાં છે. ગમતું મળે કે થાય તો સુખ અને ના મળે તો તો દુઃખ...........કેવળ એક અનુભવ ...........
આપણે આપણી જાતને સુખી નથી માનતા એનો અર્થ એવો કે આપણને ગમતું કઈ ખાસ બનતું નથી. અથવા એમ કહી શકાય કે ઘણું બધું ન ગમતું બને છે કે ઘણુંય બધું પરાણે કરવું પડે છે. તો આ ગમવું કે ન ગમવું એ તો મનની જ સ્થિતિ થઇ. તો સુખી થવું હોય તો આ મનની સ્થિતિને બદલવી પડે .તો હવે આ સ્થિતિ કેવી રીતે બદલી શકાય? મન જ જયારે ન માનતું હોય તો પછી સુખને શોધવું કઈ રીતે? એ તો આપણે મહેલમાં રહીશું ત્યારે પણ જો કઈ અણગમતું બનશે તો સુખી નહી થવા દે.
તો હવે શું કરવું ..................??
પ્રશ્ન આપણા સ્વયંના મનનો છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ જે આપણી સાથે હોય કે ન હોય એનો નથી. ફૂટપાથ પર પણ માનવીને નસ્કોરાં બોલાવીને સૂતાં જોયા છે અને રૂ ની તળાઈઓમાં પણ ઊંઘના અભાવે માણસોને આળોટતાં જોયા છે ખરું .....? તો સુખ એ વસ્તુઓનો નહી પણ અનુભૂતિનો વિષય થયો એ તો નક્કી ........
તો હવે આ મનનું શું કરવું .....મન હૈ કે માનતા નહી ....
ચાલો વિચારીએ.......આ વાત ગમા-અણગમાની છે, જોઈતા-વણજોઈતાની છે. તો કામ તો આ વિષય પર કરવું પડશે.
વિચારો, શા માટે આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ ગમે છે કે નથી ગમતી...........જોઈએ છે કે નથી જોઈતી. આપણા મનનું એક conditioning હોય છે પહેલેથી, નાનપણથી , જન્મથી જ ....તરતનું જન્મેલું બાળક જેમ જેમ મોટું થાય એટલે આપણને એના ગમા-અણગમા સમજાવવા માંડે છે. જેમ જેમ મોટું થાય તેમ તેમ એના સંજોગો, વાતાવરણને પ્રમાણે એ ઘડાતું જાય અને સાથે સાથે એના ગમા-અણગમા પણ . ત્યાર પછી આખી જીન્દગી એનું મન આ અને આવા માપદંડથી સ્વીકાર-અસ્વીકાર કરતું રહે છે. બસ આ ઘટમાળ ચાલતી જ રહે છે. આ માપદંડની પૃષ્ટભૂમિ પરથી એનું મન અભિવ્યક્ત થાય છે અને દરેક ઘટનાનો સ્વીકાર કે અસ્વીકાર કરે છે. કદાચ ઘટનાને બદલી ન શકે પણ અણગમો તો જરૂર થાય છે જે દુઃખનો અનુભવ કરાવે છે.
તો માર્ગ એ જ કે આ માપદંડોથી ઉપર ઉઠીને સત્ય હકીકતને સમજવાનો અને એને પચાવવાનો પ્રયત્ન કરવો. સત્ય હકીકત એ છે કે બ્રહ્માંડ દ્વન્દ્વો થી ભરેલું છે. નર-નારી, જીવન-મૃત્યુ, ખાટ્ટી-મીટ્ઠી, ઠંડું-ગરમ, સુખ-દુઃખ વગેરે.....યાદી અનંત છે. દરેક વસ્તુની જોડી છે. એટલે એકની સાથે બીજું છે જ. એટલે આપણે ફક્ત એક જ ગમે અને બીજું ન ગમે એમ માનીને એને ન આવકારીએ ત્યારે આપણા શરીર અને મનમાં એક અસમવાદિતા પેદા થાય છે જે આપણને દુઃખની અનુભૂતિ કરાવે છે.
આપણે આ દ્વન્દ્વોને સમજીને એ બન્નેને સ્થિતપ્રઘ્નતાથી અપનાવી શકીએ તો આપણે આ સુખ અને દુઃખની ઉંચક-નીચક લાગણીઓમાં ફંગોળવામાંથી બહાર આવી શકીએ. એક બાળક જયારે ઊંચક-નીચક પર રમતું હોય છે ત્યારે એનો આનંદ જોવા જેવો હોય છે. એ નીચે જાય છે ત્યારે દુઃખી નથી થતું કે ઉપર આવે ત્યારે સુખી નથી થતું, કારણ કે એનો અભિગમ આ રમત પ્રત્યે તુલનાત્મક (being judgmental) નથી. એ ઉપર જવાને સુખ અને નીચે જવાને દુઃખ નથી સમજતું. એ આને ફક્ત રમત તરીકે માણે છે. તો શું આપણે પણ જીવન પ્રત્યે આવો અભિગમ ન કેળવી શકીએ? જો એમ થઈ જાય તો જીવન બોજ લાગવાને બદલે રમત જ લાગે.
જ્યાં સુધી આપણે આ તુલનાત્મક અભિગમમાંથી (judgemental attitude) બહાર નહીં આવીએ, આપણી શ્રુષ્ટિના દ્વન્દ્વોને નહીં સમજી શકીએ ત્યાં સુધી આ સુખ – દુઃખના ચક્કરમાંથી બહાર નહીં જ આવી શકીએ.
તો હવે કેમ કરવું અને શું કરવું?
દરેક વસ્તુ કે ઘટના એ જેમ આવે છે એમ નિસ્પૃહતાથી સ્વીકારવી. અણગગમતી હોય તો પણ. મનને વિચલિત ન થવા દઈએ તો ગમતી સ્થિતિ નિર્મળ આનંદ આપશે અને અણગગમતી સ્થિતિનો સામનો કરવાનું, સુધારવાનું પ્રેરક બળ મળશે.
સુખ અને દુઃખ બન્ને કેવળ ક્ષણભંગુર અનુભૂતિઓ છે. તે બન્ને એક સિક્કાની બે બાજુઓ છે. જો કોઈ સિક્કાની એક જ બાજુ હોય તો એ સિક્કો આપણે ખોટ્ટો સમજીને ફેકી દઈએ છીએ. એ વાપરવા યોગ્ય નથી. એવી જ રીતે સુખ – દુઃખ એ જોડી છે. એકની કિંમત બીજા વગર નથી જ. આ શ્રુષ્ટિને સમતામાં (balance) રાખવા માટે સર્જનહારે બધું જ જોડીમાં બનાવ્યું છે. પર્વત છે તો ખીણ હોય જ છે....ખીણ વગર પર્વતની સુંદરતા નથી.
આપણે ફક્ત આ દ્વન્દ્વોને સમજીને સમતા કેળવી શકીએ એની જ જરૂર છે. કુદરત આપણને જે જોઈએ એ આપવા સમર્થ છે. ફક્ત આપણે એ દિશામાં પ્રમાણિક પ્રયત્નો કરવાના હોય છે. આ પછી આપણે ભાગે જે પણ આવે એનો સમતાથી સ્વીકાર કરવાનો હોય છે. જો આ વાત આપણે ગાંઠે બાંધી લઈએ તો દરેક પરિસ્થિતિ સમ છે. જ્યાં સુખ અને દુઃખની બહુ જ પાતળી ભેદરેખા છે. એ કેવળ એક પરિસ્થિતિ બનીને રહી જશે............ન તો સુખ કે ન તો દુઃખ .............એટલે કે કેવળ સમતા............

મધમાખીનો જીવન સંદેશ....


એક વૃક્ષની ડાળી પર એકવાર એક પક્ષી અને એક મધમાખી અરસ પરસ વાતો કરતાં હતાં.
પક્ષીએ માખીને પ્રશ્ન કર્યો : “તું પુષ્કળ મહેનત કરીને મધપૂડામાં મધ એકઠું કરે છે પરંતુ આ માણસો તારું બનાવેલું બધું મધ ચોરી જાય છે.આથી તને છેતરાઈ જવાનું દર્દ અને મધ ગુમાવવાથી નિરાશા ઉત્પન્ન થતી નથી ? “
મધમાખીએ જવાબ આપ્યો :”બિલકુલ નહીં,કેમ કે ભલે ને માણસો મધ ચોરી જાય, પરંતુ મધ કેમ બનાવવું એની આવડત અને મારી બુદ્ધિની ચોરી કદી કરી નહીં શકે. બસ, મને તો મારી જાતમાં, મારી કાર્ય શક્તિ અને કાબેલીયતમાં પુરો વિશ્વાસ છે.મારે માટે તો એટલું જ પૂરતું છે. “
દરેકે આ મધમાખી પાસેથી એના જેવો હકારાત્મક અભિગમ રાખીને પોતાની જિંદગીનો રાહ કંડારવાનું શીખવું જોઈએ...

Tuesday, July 31, 2012

પપ્પા તમે ....(લેખ)



મમ્મીને ‘તું’ કહીને બોલાવું છું કારણકે ઈશ્વરને પણ ‘તું’ કહીને બોલાવું છું. પણ તમને તો ‘તમે’ જ કહીશ. કારણ કે, ‘તમે’ બહુવચન છે. ‘પપ્પા’ પણ બહુવચન છે. જો એકવચન હોત, તો આપણે ‘પપ્પા’ નહિ, ‘પપ્પો’ કહેતા હોત. આ દુનિયામાં આવ્યા પછી, જે પહેલો પુરૂષ મને મળ્યો, એ તમે હતાં. એટલે, મારા જીવતરના વ્યાકરણ માં તો, તમે હંમેશા ‘પહેલો પુરૂષ બહુવચન’ જ રહેવાના.

પપ્પા, તમે ફક્ત એક જણ નથી. મારું મિત્ર વર્તુળ, મારો સમાજ, મારો દેશ અને મારું આખું વિશ્વ તમારા માં રહેલું છે. મારા વિશ્વની ‘વસ્તી ગણતરી’ કરવા જાઉં તો, ફક્ત ‘પપ્પા’ નામ ના ‘ગ્રહ’ માં મારું આખું universe આવી જાય. મમ્મી ની વાત નથી કરતો કારણ કે ‘વસ્તી ગણતરી’ માં આપણે ઈશ્વર ની ગણતરી નથી કરતા.

પપ્પા, તમારા માં આટલા બધા લોકો રહેતા હોય, તો તો પછી તમને ‘તમે’ જ કેહવું પડે ને ! મંદિર શું કહેવાય ? એ તો બહુ મોડી ખબર પડી. બાળપણ માં, મને તો એમ જ હતું, કે ઈશ્વર ફક્ત ઘર માં જ રહે. મેં ભગવદ ગીતા વાંચી નથી, પણ તમને વાંચ્યા છે. જિંદગી કેમ જીવવી એવું તમે શીખવાડ્યું, એટલે તમે જ મારો ધાર્મિક ગ્રંથ છો. સાચું કહું, આમ તો, તમે જ મારો ધર્મ છો.

પપ્પા, હું નાનપણ માં મમ્મી ને પૂછતો કે ‘હું આ દુનિયા માં કેવી રીતે આવ્યો?’. ત્યારે મમ્મી મને કેહતી કે ઈશ્વરની પાસે નાના બાળકો ની દુકાન છે. એ દુકાન માં તમે અને મમ્મી ગયેલા અને ત્યાં રહેલા અસંખ્ય બાળકો માં થી, તમે મને પસંદ કર્યો. એટલે હું આ દુનિયા માં આવ્યો.

મોટા થયા પછી, આટલું બધું ભણ્યા પછી……….. હવે મને મમ્મી ની વાત સમજાય છે કે મમ્મી જે કેહતી , એ જ સાચું હતું.

પપ્પા, હું તમારી દુનિયા માં આવ્યો, એની ઉજવણી તો તમે કરી લીધી, મારા જન્મ વખતે. પણ, તમે મને મળ્યા એની ઉજવણી મારે કરવી છે. બાળપણ માં જન્મદિવસની ઉજવણી વખતે હું ‘મીણબત્તી’ ઓલવી ને, કેક કાપતો ત્યારે તમે અને મમ્મી તાળીઓ પાડતા. ત્યારે હું કેટલો નાદાન હતો ? મને તો એ પણ ખબર નહોતી કે ઉજવવા જેવી ઘટના તો મારી બાજુ માં હતી. ACTUALLY, તે સમયે ફૂંક જન્મ દિવસ ને મારવાની હતી અને ઉજવણી તમારી કરવાની હતી.

પપ્પા, મને જન્મ આપવાનું સુખ તમને મળ્યુ નથી. એ CREDIT તો મમ્મી લઇ ગઈ. પણ એ એક ‘પુણ્ય’ ગુમાવવા છતાં, તમે કેટલું બધું COMPENSATE કરી લીધું છે, એવી ઈશ્વરને ખબર પડી જાય, તો મારા NEXT BIRTH વખતે નક્કી, તમે જ મને જન્મ આપશો. પપ્પા, તમે મને જન્મારો આપી શકો, તો જન્મ કેમ નહિ ?

પપ્પા, તમે ક્યારેય કેહતા નથી કે તમે કેટલો પ્રેમ કરો છો. તો ય, સાલી મને ખબર પડી જાય છે. પપ્પા, તમે ફોન ઉપર ફક્ત ‘બે મિનિટ’ વાત કરો છો, તો પણ એવું લાગે છે જાણે હું આજે પણ તમારા ખભ્ભા ઉપર બેસી, તમને સાંભળુ છું.

પપ્પા, મેં અત્યાર સુધી ખૂબ જ સારી દુનિયા જોઈ છે. કારણ કે, આ દુનિયા, મેં તમારા ખભ્ભા ઉપર બેસી ને જોઈ છે. તમે જે રીતે લોકોને જુઓ છો, એ જ દ્રષ્ટિ, તમે મને વારસા માં આપી છે. તમે આપેલી દ્રષ્ટિ માં, દૂર દૂર સુધી, એક પણ ખરાબ જણ દેખાતું નથી. પપ્પા, આ દુનિયા સારી છે કારણ કે, તમે મને મારા પહેલા જન્મદિવસે ભેંટ માં આપેલી દ્રષ્ટિ પણ સારી છે. તમે જ કહો છો, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ.

પપ્પા, મને એમ હતું કે મારા જીવન ના કપરા સમય માં, તમે મારી સાથે ચાલશો. પણ, તમે મારી સાથે ચાલ્યા નહી. તમે તો, મને ઊંચકી ને, એકલા જ ચાલ્યા.

આજે પણ તમારા પર મને એટલો જ વિશ્વાસ છે જેટલો નાનપણ માં હતો, જયારે તમે મને હવા માં ઉછાળતા અને હું નીચે આવું ત્યારે પકડી લેતાં. મને વિશ્વાસ છે, કે તમે આજે પણ મને પડવા દેશો નહિ. અને કદાચ, પડું પણ ખરો…… તો મને પડ્યો રહેવા દેશો નહિ.

પપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે, ઈશ્વર ક્યારેય દેખાતા નથી. પપ્પા, તમે ઈશ્વર નથી કારણ કે ઈશ્વર હંમેશા મારી દરેક ઇચ્છાઓ પુરી નથી કરતા. ઈશ્વર ક્યારેય મારી બાજુ માં બેસી ને, મને સમજાવતા નથી. મારા ખભ્ભા ઉપર હાથ રાખી ને, ‘હું તારી સાથે છું’ એવું ઈશ્વર તો કયારેય બોલતા નથી. તો પછી, તમે ઈશ્વર કેવી રીતે ?

ઈશ્વર ને રોજ મારી ચિંતા નથી થતી. ઈશ્વર તો મારી વાત ન પણ સાંભળે પણ તમે તો હંમેશા મારી વાત સાંભળો છો. તો તમે ઈશ્વર કેવી રીતે ?

હું બોલાવું, તો ઈશ્વર ‘મંદિર’ માં સાવ નવરા હોવા છતાં પણ મંદિર છોડી ને મારી પાસે આવતા નથી. તમે તો ‘ઓફીસ’ નું આટલું કામ પડતું મૂકી ને પણ મારી પાસે આવી જાવ છો. તો તમે ઈશ્વર કેવી રીતે ?

પપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે. તમે તો ફક્ત સુખ જ આપો છો..

એક ખુબ જ સરસ વાત છે (લેખ).



એક ખુબ જ સરસ વાત છે કે હજીયે આપણા ગામડાંઓમાં માનવતા જીવે છે... પ્રામાણિક્તા,દીર્ઘસંતોષ,ગમે તેવી હાલતમાં પણ ભગવાનઉપરની શ્રધ્ધા...એની આ વાત છે.



થોડાક વખત પહેલાં, એક માનતા પુરી થયા પછીથી, તે માન્યા પ્રમાણે હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટેફરસાણ-મિઠાઇવાળાની દુકાનેથી બુંદીના ૧-૧ લાડુ અને ગાંઠીયાના ૫૧ પડીકા બંધાવીને સવારના પહોરમાં સ્કુટર ઉપર નીકળી પડ્યો.થોડાક પડીકા રસ્તામાં આવતા-જતાં ભિખારીઓને આપતો આપતો રેલ્વે સ્ટેશને પહોંચ્યો, કારણ કે ત્યાં અથવા મંદિરે જ વધારે ભિખારીઓમળી રહે...



ભજીયાં,સીંગ ચણા વગેરેની લારીઓથી થોડેક દુર, એક ઝાડ નીચે, એક ભિખારણ બે નાના છોકરાઓને લઇને બેઠી હતી. મેં તેની નજીક જઇનેતેને વ્યક્તિદીઠ ૧-૧ એમ ત્રણ પડીકા આપ્યા, અને હજી તો સ્કુટરની કીક મારવા જઉં તે પહેલાં પેલી ભિખારણે "ઓ...સાયેબ...અરે..ઓ..શેઠ"બુમો પાડીને મને રોક્યો. પાસે આવીને મને કહે કે "સાયેબ, તમુયે તૈણ જણના તૈણ પડીકા આપીયા, પન આ નાલ્લો તો હજી હાત મ્હૈનાનો જથ્યો છે.. ઇ કેમનો ખૈ હખવાનો? લો આ એક પડીકું પાછું લૈ જાવ. કોક બચારા મારાથી વધારે ભુખ્યાને કામ લાગશે."



મારી આંખોમાં આંસુ આવી ગયા. (કેટલી ઇમાનદારી?) છતાં એની પરિક્ષા કરવા માટે મેં પુછ્યું કે, "જો આ પડીકું તેં તારી પાસે રહેવા દીધુંહોત, તો તને સાંજે ખાવા કામ લાગેત. શું તારી પાસે સાંજના ખાવા માટેની કોઇ વ્યવસ્થા છે? કે તું શું ખઇશ? છોકરાને શું ખવડાવીશ?"...તેણેહાથ જોડીને જે જવાબ આપ્યો તે સાંભળીને મને તેના ચરણસ્પર્શ કરવાનું મન થઇ ગયું, તેણે કીધું કે," શેઠ...સાંજની કે કાલની ચિંતા કરવાનુંકામ મારૂં નથી, ઉપરવાળાનું છે અને તે જે આપે છે તેટ્લું જ મારૂં છે, (ભગવાન ઉપર કેટ્લી શ્રધ્ધા છે).. જો મારા નસીબમાં હશે તો અહીં જ ઝાડનીચે બેઠાં- બેઠાં પણ તમારા જેવા કોઇક ગાડીવાળાને નિમીત્ત બનાવીને પણ અમારૂં પેટ ભરશે, પણ તે માટે હું બેઇમાની તો નહીં જ કરૂં. મારાનસીબનું હશે, તેટ્લું જ મને મળશે, નહિતર તમે આપેલુ આ પડીકુ પણ કોઇ કુતરૂં કે કાગડો આવીને ખેંચી જશે.(કેટલો સંતોષ)



જો ભગવાને મને મારા કર્મોના હિસાબે આ ભિખારણનો દેહ આપ્યો છે તો તેમાં જ મારૂં ભલુ હશે અથવા તે જ મારૂં નસીબ હશે, નહિતર હુંઅત્યારે ગાડીવાળાના ઘરમાં હોત.....!!!" કેવો સરસ માર્મિક જવાબ છે, પોતાની પાસે કશું જ નથી તો ય કાલની કે સાંજની ચિંતા નથી,
અને આપણને ભગવાને એટલું બધું આપી દીધું છે કે આપણને તે સાચવવાની ચિંતા છે...શેમાં પૈસા રોકું તો જલ્દીથી વધે?૨૫ વર્ષ પછી પાકીને કેટલાં થશે, તેવી ગણતરી કરીને રોકાણ કરીએ છીએ...



૨૫,૩૦ વર્ષનું મોરગેજ, ૨૫ વર્ષ પછી RRSP/CPP/Insurance માંથી કેટલા પાછા આવશે, તે ગણીને આજે ભીડ ભોગવીને ય કાલ માટેબચાવીએ છીએ, અને ભગવાન ઉપર શ્રધ્ધાની મોટી મોટી વાતો કરીએ છીએ...!!!

શ્રેષ્ઠતાના ૧૦ નિયમો


૧. અભિમાની નહીં, સ્વાભિમાની બનો
૨.સંયમની ભાષા સૌથી મીઠી
૩.આશા રાખો આકાશને આંબવાની
૪.દરેક માટે સમય કાઢતા શિખો
૫.પ્રેમથી સામે વાળી વ્યક્તિને જીતી લો
૬. ત્યાગ કરતા શિખો. કઇક ગુમાવીને જ કઇક પામશો
૭.સુખ માટે ઝઘડો. નાના ઝઘડા પ્રેમ વધારે છે
૮.કોઇની અપેક્ષાની ઉપેક્ષા કદી ન કરો
૯.કઇક એવું છે જે બદલવું અશક્ય છ તેને સ્વીકારી લો
૧૦. સારા ચારિત્ર્યની પૂંજી બનાવો

લોહી જેવા જીવંત પ્રવાહીનું સર્જન એ કુદરતની કમાલ છે


લોહી જેવા જીવંત પ્રવાહીનું સર્જન એ કુદરતની કમાલ છે.હજી સુધી એનું ઉત્પાદન કરનાર ફેકટરી શરૂ થઇ નથી.લેબોરેટરીમાં એનું પ્રુથ્થકરણ થઇ શકે છે, સર્જન થઇ શકતું નથી.
નાડીના ધબકારા નસમાં વહેતા લોહીને આભારી છે.
હ્ર્દય નામનો પંપ શરીરમાં લોહીને ફરતું રાખે છે.એ પંપ રજા રાખતો નથી......
લોહીનું ભ્રમણ એટલે જીવન.એ ભ્રમણ અટકી જાય એટ્લે મ્રુત્યુ.

Monday, July 30, 2012

સફળતાના પાંચ સુત્રો



જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનાં જેટલાં સાધન બતાવ્યાં છે. તેમાં વિદ્ધાનોએ પાંચ સાધનોને મુખ્ય સ્થાન આપ્યું છે. જે મનુષ્ય પોતાનામાં આ પાંચ સાધનોનો સમાવેશ કરી લે છે, તે ગમે તે સ્થિતિનો કેમ ન હોય, પોતાની ઇચ્છિત સફળતાઓની પસંદગી જરૂર કરી લે છે.

(૧) પરિશ્રમ અને પુરુષાર્થ :-

જે મનુષ્ય પોતાના શરીરનો સાર પરિશ્રમરૂપી તપમાં ખર્ચે છે, પોતાની શક્તિ અને ક્ષમતાઓનો સમુચિત ઉપયોગ કરે છે, તે પ્રકાશ મેળવીને ધન્ય થઈ જાય છે. સક્રિયતા જ જીવન છે અને નિષ્ક્રિયતા મૃત્યુ. શ્રમથી દૂર રહીને આળસ અથવા પ્રમાદમાં પડી રહેનાર મનુષ્યને જીવિત ન કહી શકાય.

(૨) આત્મવિશ્વાસ તથા બલિદાન :-

આત્મવિશ્વાસ અને સ્વાવલંબન વિનાની વ્યક્તિને કોઈ મદદ કરતું નથી કે સહયોગ આપતું નથી. નિયમ છે કે લોકો તેને જ મદદ કરે છે, જે પોતાની મદદ પોતે જ કરે છે અને જેનું હ્રદય આત્મવિશ્વાસની ભાવનાથી ઓતપ્રોત છે.

જે આપે છે, તે જ મેળવે છે. કોઈ એવું ઇચ્છે કે તે સંસારમાં બધું જ મેળવતો જ જાય, પરંતુ કશું જ આપવું ન પડે, તો આવી સ્વાર્થી અને સંકુચિત વૃત્તિવાળી વ્યક્તિ આ આદાન પ્રદાન પર ચાલતા સંસારમાં એક કદમ પણ આગળ વધી શકતી નથી. તેથી સફળતા મેળવવા અથવા તેની સંભાવનાઓ સુનિશ્ચિત કરવા માટે જરૂરી ત્યાગ અને બલિદાન માટે સદાય તત્પર રહે.

(૩) સ્નેહ અને સહાનુભૂતિ :-

સફળતા અથવા તેના માટે પ્રયત્નમાં જો સ્નેહ તથા સહાનુભૂતિનો સમાવેશ કરવામાં ન આવે તો તે કાં તો નિષ્ફળતામાં બદલાઈ જશે અથવા પ્રાપ્ત જ નહિ થાય. જે ક્રૂર, કઠોર તથા અસંવેદનશીલ છે, તેના આ દુર્ગુણો જ તેના માર્ગમાં કંટક બનીને ફેલાઈ જશે. ઉન્નતિ તથા વિકાસ તરફ જવાની ઇચ્છા ધરાવનાર વ્યક્તિએ સ્નેહ તથા સહાનુભૂતિને સ્થાન આપવું જરૂરી છે. જેથી પ્રતિદાનમાં તે પણ સ્નેહ સહાનુભૂતિ મેળવતી રહે અને તેનો માર્ગ પ્રશસ્ત થતો રહે.

(૪) સાહસ અને નિયમિતતા :-

ડરપોક માણસમાં આગળ વધવાની હિંમત જ નથી હોતી. તે ડગલે ને પગલે આપત્તિ અને મુશ્કેલીઓની શંકા કરતો રહેશે. સફળતાના માર્ગ પર અસફળતાનો ભય અસ્વાભાવિક નથી. ડરપોક વ્યક્તિ આવી અજ્ઞાત અથવા અસંભવ નિષ્ફળતાને કારણે અભિયાનનો આરંભ જ નહિ કરે. જે શ્રેયની શરૂઆત જ ન હોય તેનું પરિણામ કેવી રીતે આવી શકે?

(૫) પ્રસન્નતા તથા માનસિક સંતુલન :-

શરીરયાત્રા માટે જીવનની જેટલી જરૂર છે, તેટલી જ જરૂર સફળતા મેળવવા માટે પ્રસન્નતાની છે. અપ્રસન્ન વ્યક્તિ એક રીતે નિર્જીવ જ હોય છે. દુ:ખી હાલતમાં મનુષ્યનું સંતુલન અસંભવ છે અને અસંતુલન નિશ્ચિતરૂપે નિષ્ફળતાની જનની છે.