LIVE FM RADIO

FLIPKART

Flipkart.com

Monday, July 30, 2012

સફળતાના પાંચ સુત્રો



જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનાં જેટલાં સાધન બતાવ્યાં છે. તેમાં વિદ્ધાનોએ પાંચ સાધનોને મુખ્ય સ્થાન આપ્યું છે. જે મનુષ્ય પોતાનામાં આ પાંચ સાધનોનો સમાવેશ કરી લે છે, તે ગમે તે સ્થિતિનો કેમ ન હોય, પોતાની ઇચ્છિત સફળતાઓની પસંદગી જરૂર કરી લે છે.

(૧) પરિશ્રમ અને પુરુષાર્થ :-

જે મનુષ્ય પોતાના શરીરનો સાર પરિશ્રમરૂપી તપમાં ખર્ચે છે, પોતાની શક્તિ અને ક્ષમતાઓનો સમુચિત ઉપયોગ કરે છે, તે પ્રકાશ મેળવીને ધન્ય થઈ જાય છે. સક્રિયતા જ જીવન છે અને નિષ્ક્રિયતા મૃત્યુ. શ્રમથી દૂર રહીને આળસ અથવા પ્રમાદમાં પડી રહેનાર મનુષ્યને જીવિત ન કહી શકાય.

(૨) આત્મવિશ્વાસ તથા બલિદાન :-

આત્મવિશ્વાસ અને સ્વાવલંબન વિનાની વ્યક્તિને કોઈ મદદ કરતું નથી કે સહયોગ આપતું નથી. નિયમ છે કે લોકો તેને જ મદદ કરે છે, જે પોતાની મદદ પોતે જ કરે છે અને જેનું હ્રદય આત્મવિશ્વાસની ભાવનાથી ઓતપ્રોત છે.

જે આપે છે, તે જ મેળવે છે. કોઈ એવું ઇચ્છે કે તે સંસારમાં બધું જ મેળવતો જ જાય, પરંતુ કશું જ આપવું ન પડે, તો આવી સ્વાર્થી અને સંકુચિત વૃત્તિવાળી વ્યક્તિ આ આદાન પ્રદાન પર ચાલતા સંસારમાં એક કદમ પણ આગળ વધી શકતી નથી. તેથી સફળતા મેળવવા અથવા તેની સંભાવનાઓ સુનિશ્ચિત કરવા માટે જરૂરી ત્યાગ અને બલિદાન માટે સદાય તત્પર રહે.

(૩) સ્નેહ અને સહાનુભૂતિ :-

સફળતા અથવા તેના માટે પ્રયત્નમાં જો સ્નેહ તથા સહાનુભૂતિનો સમાવેશ કરવામાં ન આવે તો તે કાં તો નિષ્ફળતામાં બદલાઈ જશે અથવા પ્રાપ્ત જ નહિ થાય. જે ક્રૂર, કઠોર તથા અસંવેદનશીલ છે, તેના આ દુર્ગુણો જ તેના માર્ગમાં કંટક બનીને ફેલાઈ જશે. ઉન્નતિ તથા વિકાસ તરફ જવાની ઇચ્છા ધરાવનાર વ્યક્તિએ સ્નેહ તથા સહાનુભૂતિને સ્થાન આપવું જરૂરી છે. જેથી પ્રતિદાનમાં તે પણ સ્નેહ સહાનુભૂતિ મેળવતી રહે અને તેનો માર્ગ પ્રશસ્ત થતો રહે.

(૪) સાહસ અને નિયમિતતા :-

ડરપોક માણસમાં આગળ વધવાની હિંમત જ નથી હોતી. તે ડગલે ને પગલે આપત્તિ અને મુશ્કેલીઓની શંકા કરતો રહેશે. સફળતાના માર્ગ પર અસફળતાનો ભય અસ્વાભાવિક નથી. ડરપોક વ્યક્તિ આવી અજ્ઞાત અથવા અસંભવ નિષ્ફળતાને કારણે અભિયાનનો આરંભ જ નહિ કરે. જે શ્રેયની શરૂઆત જ ન હોય તેનું પરિણામ કેવી રીતે આવી શકે?

(૫) પ્રસન્નતા તથા માનસિક સંતુલન :-

શરીરયાત્રા માટે જીવનની જેટલી જરૂર છે, તેટલી જ જરૂર સફળતા મેળવવા માટે પ્રસન્નતાની છે. અપ્રસન્ન વ્યક્તિ એક રીતે નિર્જીવ જ હોય છે. દુ:ખી હાલતમાં મનુષ્યનું સંતુલન અસંભવ છે અને અસંતુલન નિશ્ચિતરૂપે નિષ્ફળતાની જનની છે.

No comments: